સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

બુધવાર, 25 નવેમ્બર, 2015

રેસ્ટોરન્ટમાં કઈ રીતે બને છે 'પાલક પનીર' જાણો તેની રીત

રેસ્ટોરન્ટમાં કઈ રીતે બને છે 'પાલક પનીર' જાણો તેની રીત



4 વ્યક્તિઓ માટે પાલક પનીરની સબ્જી બનાવવાની રીત.
સામગ્રી

500 ગ્રામ પાલક
100 ગ્રામ પનીર
2 ડુંગળી
3 ટેબલ સ્પૂન માખણ
2-3 તમાલપત્ર
1 ટીસ્પૂન જીરુ
મીઠું, સ્વાદ અનુસાર
1/4 ટીસ્પૂન મરી પાવડર
3/4ટીસ્પૂન
આદુ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ
1 ટીસ્પૂન ગરમ મસાલો
વેજીટેબલ ઓઈલ, જરૂર પ્રમાણે

રીત

  • આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને થોડુ પાણી પાલક સાથે મિક્સ કરો.
  • તેને 7-8 મિનીટ માટે પ્રેશર કુકરમાં બાફો. (લગભગ 1 સીટી)
  • પનીરને નાના ટુકડામાં કાપી લો. થોડા ટુકડાને ગાર્નિશ કરવા માટે બાજુમાં રહેવા દો.
  • એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડાને મધ્યમ આંચ પર તળો.
  • થોડા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.
  • હવે 2 ટેબલસ્પૂન માખણ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને જીરુ નાંખો.
  • સમારેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.
  • તેમાં મીઠું, મરી પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો.
  • હવે પનીરના ટુકડા અને પાલકને ગ્રાઈન્ડ કરીને તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  • પાલક પનીરને બરાબર ધીમી આંચે પકવા દો, તેમાં વધારાનું માખણ ઉમેરી લો
  • હવે ગાર્નિશીગ માટે ઉપરથી પનીરના સાઈડમાં રાખેલાં ટુકડા નાખો
  • ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.
સાભારઃ સંદેશ ન્યુઝ

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.