સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

મંદિર તારું વિશ્વ

મંદિર તારું વિશ્વ

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે.

પળ પળ તારા દર્શન થાયે,
દેખે દેખણહારા રે

નહીં પુજારી, નહીં કો દેવા,
નહીં મંદિરને તાળા રે

નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે.

મંદિર તારું વિશ્વ રૂપાળું

વર્ણન કરતા શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે

મંદિર માં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરા રે.

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે.

- જયંતીલાલ આચાર્ય




0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.