સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

પ્રભુ તારું ગીત

પ્રભુ તારું ગીત

પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પીવું છે
પ્રભુ તારું ગીત
આવે જીવનમાં તડકા ને છાંયા
માંગુ છું પ્રભુ તારી જ માયા
ભક્તિના રસમાં ન્હાવું છે
પ્રભુ તારું ગીત
ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે
પ્રભુ તારું ગીત
તું વીતરાગી હું અનુરાગી
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે
પ્રભુ તારું ગીત

 

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સર્વ મિત્રો નો ખુબખુબ આભાર.